29/05/2024
*હંમેશા ઘરમા રાખો ઔષધનો રાજા હરડે, તેમાં તમારી દરેક તકલીફ નો હલ રહેલો છે*
🌰🥠🥟🥟🥠🌰🌰🥠🥟🥟🥠🌰
તમામ પથ્યદ્રવ્યોમાં હરડે શ્રેષ્ઠ છે. ચરકસંહિતાકારે સૂત્રસ્થાનના 25માં અધ્યાયમાં આ સૂત્ર *હરીતકી પથ્યાનામ* આપીને હરડેનું ઘણું ઊંચું સ્થાન આપી દીધું છે.
શરીર માટે બધી જ રીતે જે અનુકૂળ છે તે પથ્ય... હરડે સાતેય ધાતુને અનુકૂળ છે એટલું જ નહીં શરીરના તમામ સ્ત્રોતસ (system) ને શુદ્ધ રાખીને રોગ સામે સક્ષણ આપે છે. આથી હરડે પથ્યતમ છે. હરડે માત્ર મળશુદ્ધિ કરનારું ઔષધ છે તેવો અજ્ઞાન ખ્યાલ છોડીને અનેક ગુણવાળું મહાન ઔષધ છે તે જાણી લેવું જોઈએ.
*મમ સત્યપ્રતિરોયં પૂયં શ્રુણુત પંડિતઃ |*
*પથ્યાયા સદ્યશં કિશ્વીત્ કુત્રચિત્ નૈવતિંપતે ||*
અર્થાત હે પંડિતો તમે મારી આ સત્યપરતીતા સાંભળો કે હરડે જેવું એકેય પથ્યઔષધ આ જગતમાં નથી.
https://wa.me/c/918849237469
અષ્ટાંગહ્ર્દયમાં તો હરડેની ગાથા ગાતા ગાતા કહ્યું છે કે
*હરણાત સર્વરોગાણાં યાસાં ઉક્તા હરીતકી |*
એ બધા જ રોગને મટાડે છે તેથી તેને હરીતકી કહેવામાં આવે છે. તે રસાયન હોવાથી સર્વ રોગને મટાડે છે, ઘડપણ આવવા દેતી નથી. યૌવનને સદા ટકાવી રાખે છે.
વાયુની ગતિને સવળી કરનારા, ભૂખ લગાડનાર, ખોરાક પચાવનાર, પેટ સાફ કરનાર, મળ બાંધનાર, સોજો દૂર કરનાર, વેદના દૂર કરનાર, વર્ણ ને ચોખ્ખો રાખનાર, વ્રણમાં રૂઝ લાવનાર, શક્તિ આપનાર, વીર્ય શક્તિ વધારનાર, બળ આપનાર, બુદ્ધિ વધારનાર, આંખોનું તેજ વધારનાર, યકૃતને બળ આપનાર, હૃયને બળ આપનાર, લોહી વધારનાર, ગર્ભાશયનો સોજો મટાડનાર, મૂત્ર પ્રવૃત્તિ વધારનાર, આયુષ્ય વધારનાર, હિતકર, સંતાન ઉત્પન્ન કરવામાં (ગર્ભ ધારણ કરાવે) મદદરૂપ ઔષધિ.
હરડે ઘી સાથે વાત, લવણ-સિંધવ મીઠા સાથે કફ, અને મધ કે સાકર સાથે પીત્તનું નીવારણ કરે છે, તેમ જ ગોળ સાથે હરડે ખાવાથી સર્વ રોગો નો સમૂળ માંથી નાશ કરે છે. આ રીતે જોઈએ તો હરડે ત્રીદોષ નાશક ઔષધિ છે.
ગુજરાતીમાં એક સૂત્ર છે કે
*ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય,*
*દૂધે વાળું જે કરે, તે ઘેર વૈદ્ય કદી ન જાય..*
નરણાંકોઠે એટલેકે સવારે ઉઠીને તરત કઈ ખાધા પીધા વગર જ હરડેનું સેવન ઉત્તમ માનવામાં આવ્યું છે.
હરડેની ઉત્તમ ઉપયોગીતાના લીધે એક સૂત્ર ખુબજ પ્રચલિત છે કે
*માતા યસ્મ ગૃહે નાસ્તિ તસ્ય માતા હરીતકી |*
અર્થાત જેના ઘરમાં માતા નથી તેની માતા હરડે છે. કોઈપણ બાળકની માતા જીવિત હોય અને પોતાના બાળકના સ્વાસ્થયનું જેટલું ધ્યાન રાખતી હોય તેના કરતાં પણ વધારે જેની માતા ન હોય તેનું ધ્યાન હરડે રાખે છે. આવું કહીને હરડેને માતાની ઉપમા આપી છે. માતા તો ક્યારેક પોતાના બાળક પર કોપાયમાન (ક્રોધિત) પણ થાય, પરંતુ હરડે તો ક્યારેય પણ સાજા કે માંદામાં પણ કોપાયમાન થતી નથી. એટલે કે હંમેશા નુકસાનના બદલે ફાયદો આપનારી જ છે.
હરડે લેવાથી તેની આદત પડી જવાના ભયે કે આંતરડા નબળા પડી જતા હોવાને અફવાના ભયે આજે લોકો હરડે લેતા ડરે છે. પરંતુ આયુર્વેદે તો હરડેનો ઔષધ કરતાંય આહાર રૂપે સ્વીકાર કર્યો છે. તેથી જ તેનું સ્થાન નિત્ય સેવનિય આહારદ્રવ્યોની યાદીમાં યોજયું છે.
શુદ્ધ અને ઠળિયા વગરનો હરડે પાવડર વ્યક્તિએ યોગ્ય પ્રમાણમાં લેવો જોઈએ . હરડે ચૂર્ણની માત્રાનો આધાર વ્યક્તિ ની ઉંમર, જરુરીયાત તથા તેની પ્રકૃતી ઉપર આધાર રાખે છે.સારા સ્વાસ્થ્યની ઈચ્છા જો લોકો રાખતા હોય તેમણે રોજ શુદ્ધ ઠળિયા વગરનું હરડેનું સેવન કરવું જોઈએ. રાતે જમ્યા પછી અને સુતા પહેલા અડધી હરડે ચાવીને ખાવી. અથવા તેનું ચૂર્ણ લેવું. ખૂબ ચાવીને ખાધેલી હરડે અગ્નીને પ્રદીપ્ત કરે છે, વાટેલી હરડે રેચ લગાડે છે, બાફેલી હરડે ઝાડો રોકે છે અને હરડેને શેકીને લેવામાં આવે તો તે ત્રણે દોષોનો નાશ કરે છે.
હરડે જો ભોજન સાથે ખાવા માં આવે તો બુદ્ધી અને બળ વધે છે તથા ઈંદ્રીયોને સતેજ બનાવે છે. કફ પિત્ત અને વાયુ ને શરીર માંથી દૂર છે. મળ તથા મૂત્ર ને વિખેરી નાખે છે. જમ્યા પછી જો હરડે ખાવા માં આવે તો ખાધેલ ખોરાક ને લીધે થતાં વાત્ત પિત્ત અને કફ ના દોષો દૂર કરે છે. હરડે હેમંત ઋતુમાં સુંઠ, શીશીરમાં પીપર, વસંતમાં મધ, ગ્રીષ્મમાં ગોળ, વર્ષામાં સીંધવ અને શરદ ઋતુમાં સાકર સાથે ખાવી જોઈએ. મુસાફરી કે શ્રમ કરવાથી થાકેલાએ, બળ વગરનાએ, રુક્ષ પડી ગયેલાએ, કૃશ-દુર્બળ પડી ગયેલાએ, ઉપવાસ કરેલા હોય તેણે, અધીક પીત્તવાળાએ, ગર્ભવતી સ્ત્રીઓએ અને જેમણે લોહી કઢાવ્યું હોય તેમણે હરડે ખાવી નહીં.
હરડે આ પ્રકાર ના સર્વ રોગનો નાશ કરે છે. ભૂખ ઓછી લાગવી, અપચો, દુખાવો, આફરો, પેટનો ગોળો, કબજિયાત, પેટના રોગો, હરસ, કમળો, યકૃત-બરોળ ના રોગો, કરમિયા, તાવ, ચામડીના રોગો, લોહી બગાડ, ઉધરસ, શ્વાસ, હેડકી, અવાજ બેસી જવો, સફેદ પાણી પડવું, મીઠા પેશાબની તકલીફ, પેશાબ પરાણે થવો, ગર્ભાશયમાં સોજો, દેના રોગો, પેશાબ બંધ થઈ જવો. હરડે ત્રિફળા ચૂર્ણ, અભિયાદી મોદક, અભયારિષ્ટ, પથ્યાદી ક્વાથ, પથ્યાદી ગૂગળ, સપ્તામૃત લોહ, પંચસકાર ચૂર્ણ વિગેરે પ્રકાર ના તમામ ચૂર્ણ બનવા માં કામ માં આવે છે.
આખી હરડેને તાજા ગૌમૂત્રમાં પલાળી રાખી ત્યારબાદ તેનું સેવન કરવાથી લાભ થાય છે. જે લોકોને ગેસ, કબજિયાત, મરડો, જીર્ણ જ્વર, અજીર્ણ, અપચો, હરસ અને આમ જેવા રોગો રહેતા હોય તેમને હરડેને શુદ્ધ એરંડિયામાં 10 દિવસ પલાળી રાખવું. આમાં પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમના પાત્રમાં પલાડવી નહિ. 10 દિવસ પલળી ગયા બાદ તેના ઠળિયા કાઢી તેની છાલનો પાવડર કરવો. અને આ પાવડરનું સેવન કરવાથી ખૂબ જ લાભ થશે. વાયુ ને લીધે દુખાવો થતો હોય તો તેમાં પણ આ ઉપચાર અકસીર માનવ માં આવે છે.કોઈપણ પ્રકારનાં પ્રમેહમાં હરડે અને હળદરનું સમભાગ ચૂર્ણ મિશ્ર કરીને લેવું. તેનાથી પેશાબ ના રોગો માં ઘણી રાહત મળે છે. હરડે અને ગજપીપરનેએક સરખા ભાગે મિશ્ર કરીને તેટલા જ પ્રમાણમાં તેમાં ગોળ ઉમેરવો, સોપારી જેવડી ગોળીઓ બનાવી તેનું સેવન કરવાથી અમ્લપિત્ત માં ઘણો ફાયદો થઈ છે .
હરડે ને મધ સાથે ચાટવાથી ઊબકા કે ઊલટી જેવુ થતું હોય તો શાંતિ મળે છે.હરડે નો બારીક પાવડર ગરમ પાણીમાં પલાળી પેસ્ટ કરી ચાંદી પર લગાડવાથી દાદર સોરાયસીસ અને ખરજવા જેવા ચામડીના રોગમાં ફાયદો થાય છે. ખીલ, ખસ, ખરજવું, ગુમડાં વગેરે ચામડીના રોગો અને રક્તબગાડના રોગો માં અડધી થી એક ચમચી હરડેનું ચુર્ણ રોજ રાત્રે જમ્યા પછી નવશેકા પાણી સાથે લેવું અને વાયુપીત્તાદી દોષાનુસાર પરેજી પાળવી.હરડે અને સુંઠ સરખા ભાગે પાણી માં લસોટી નવશેકા ગરમ પાણીમાં સવારે અને રાત્રે લેવાથી કફ-શ્વાસ અને કફના રોગોમાં ફાયદો કરે છે.
દુઝતા હરસમાં દર્દીએ સવારે રાત્રે જુના ગોળ સાથે હરડે ખાવી. હરડેને છાસ સાથે લેવાથી પણ ખૂબ ગુણકારી બને છે. અને જો હરસ બહાર દેખાતા ન હોય તો તેવા પ્રકારના રોગમાં સવારે અને રાત્રે સૂતા પહેલા ઠળિયા વગરનું એરંડા યુક્ત હરડે ચૂર્ણ લેવું જોઈએ. પિત્તજ ગુલ્મ થયો હોય તો હરડે અને કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પિત્તથી થતો ગોળો મટી જાય છે. હરડે, અરડૂસી અને ગોળ સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરીને પીવાથી શરીરની રક્તશુદ્ધિ થાય છે. ચામડીના રોગો પણ મટે છે. સાથે શરીરમાં કોઈપણ સ્થળે આંતરિક રક્તસ્ત્રાવ થતો હોય તો તેનો વેગ ઓછો થાય છે. ખૂબ જૂની શરદી રહેતી હોય અને કેમેય કરીને મટતી ન હોય તો હરડે સાથે ત્રિકટુ ભેળવી મધ સાથે તેનું સેવન કરવું.
વાતના 80 પ્રકારના રોગોમાં શુદ્ધ એરંડિયાના તેલમાં પલાળેલી હરડેને શેકીને તેનું ચૂર્ણ સેવન કરવું. પિતના રોગોમાં ખડી સાકરના ચૂર્ણ સાથે મેળવીને હરડે ખાવી. કફના 20 પ્રકારના રોગોમાં સાચા સિંધવ નમક સાથે હરડેનું સેવન કરવું.
જો તમારે તમારા શરીર ને તંદુરસ્ત રાખવું હોય અને લાંબુ સ્વસ્થ જીવન જીવવું હોય તો તમારે હરડે નું સેવન કરવું જોઈએ. હરડે શરીર ના બધા કોષોને જીવંત રાખવાનું કામ કરે છે, મરવા દેતી નથી. આથી આંખની તકલીફ, પેટના રોગો, નાકના રોગો, માથાની ફરીયાદ જેવી બધી જ તકલીફ હરડે લેવાથી તેમ ઘણો ફાયદો થાય છે . જો તમારું શરીર તંદુરસ્ત હશે તો તમે લાંબુ જીવન જીવી શકશો.
*ગેસ,કબજિયાતના રોગોમાં સર્વોત્તમ અને રામબાણ ઈલાજ કરવા માટે એરંડિયામાં શેકેલી ઠળિયા વગરનું હરડે ચૂર્ણ શ્રેષ્ઠ ઔષધિ છે.*
કોઈપણ કારણોસર આપણને વાગ્યું હોય અને લોહી નીકળતા હોય તો તેના પર હરડે ચૂર્ણ દબાવી તુરંત જ પાટો બાંધી દેવો. જેથી ચમત્કારી લાભ જણાશે..
હરડેનું સેવન નાના બાળકોથી લઈને યુવાન તથા વૃધ્ધો દરેક લોકો કરી શકે છે. જેમને ગેસ, કબજિયાત, પેટમાં તકલીફ રહેતી હોય તેવા લોકોએ દરોજ સવારે નરણાંકોઠે 1 ચમચી હરડે ચૂર્ણ લેવું. જેમને વધુ તકલીફ હોય તે રાત્રે પણ લઈ શકે છે. આ ચૂર્ણ ગરમ પાણી સાથે અથવા ત્રામ્બાના પાત્રના પાણી સાથે કરી શકે છે.
આયુર્વેદિક માહિતી અને આયુર્વેદિક દવાઓ મેળવવા માટે Join HEALTH તમારું નામ અને સિટી નું લખીને 88492 37469 વોટ્સએપ મેસેજ કરો.
ગાડી ના વીમા માટે ફોન કરો 9662033410 wtsp કરો
Rajiv Dixit Followers Everyone ゚